હબીબભાઇ કટારીયા હવે સંપૂર્ણ સ્વસ્થઃ હોસ્પિટલમાંથી રજા આપી
ગનીબાપુના પરિવાર દુઆ કરનાર સહુનો આભાર માન્યો
રાજકોટઃ ગત શુક્રવારે મુસ્લિમ અગ્રણી હબીબભાઈ કટારીયાને એકાએક હદયરોગનો હુમલો આવતા તાત્કાલિક ર્સ્ટર્લીંગ હોસ્પિટલમા જાણીતા હદયરોગ નિષ્ણાંત ડોકટરોની દેખરેખ હેઠળ એન્જીઓગ્રાફી કરવામાં આવેલ જેમાં બે નળી બ્લોક હોવાનુ માલુમ પડતા તુરતજ એનજીઓ પ્લાસટી કરી હદયમા સ્ટેન્ટ ઉતારી સફળ ઓપરેશન કરેલ હતા.
આ માટે અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાએ ડોકટર સાથે વાત કરી ઝડપી અને વ્યવસ્થિત સારવાર કરવા અનુરોધ કરેલ હતો. ખબરઅંતર વ્યવસ્થાનુ મોનીટરીં મુસ્લિમ સમાજના અગણીઓ હાજી હુશેન ભાઈ શમા, ફારૂક બાવાણી, ફારૂક કટારીયા, દિલાવર જશરાયા, યુસુફભાઈ સોપારી વાલા, સોએબભાઈ વગેરેએ વ્યવસ્થા સંભાળી હતી.
હિન્દુ મુસ્લિમ સમાજ ના અગ્રણીઓ, શુભેચ્છકોએ હબીબભાઈ ઝડપથી સાજા થાય તે માટે પ્રાર્થના-દુઆ માનતા કરેલ તે તમામ હિન્દુ મુસ્લિમ બિરાદરોનો મરહુમ ગનીબાપુ કટારીયા પરિવારનો આભાર માનેલ તેમ તેઓના નાનાભાઇ હનીફભાઈ કટારીયાની યાદીમાં જણાવાયું છે. મો.૯૮૨૪૪ ૧૬૦૬૯.