રેલનગર લાલબહાદુર શાસ્ત્રી ટાઉનશીપમાં મારામારીઃ બે ઘવાયા
લોઠડામાં પડોશીઓ વચ્ચે ધમાલમાં બેને ઇજા
રાજકોટ તા. ૧૫: રેલનગરમાં મારૂતિના શો રૂમ પાછળ લાલબહાદુર શાસ્ત્રી ટાઉનશીપમાં રાતે મારામારી થતાં એક સગીરા અને એક મહિલાને ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરી હતી.
મારામારીમાં પાયલ મહેશભાઇ હળવદીયા (ઉ.૧૫) તથા ડિમ્પલબેન એન. પરમાર (ઉ.વ.૩૬)ને ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પડોશીઓ વચ્ચે માથાકુટ થતી હોઇ પાયલનો ભાઇ સમજાવવા જતાં તેની સાથે માથાકુટ કરવામાં આવી હતી. જેમાં પાયલ વચ્ચે પડતાં તેને ઇજા થઇ હતી. સામા પક્ષે ડિમ્પલબેનને પણ ઇજા થઇ હતી. પોલીસે બંને પક્ષના નિવેદન નોંધવા તજવીજ કરી હતી.
બીજા બનાવમાં રાજકોટના લોઠડા ગામે રહેતાં દેવરાજભાઇ સવાભાઇ મેર (ઉ.૪૬) અને રમાબેન રસિકભાઇ મકવાણા (ઉ.૪૦)ને મારામારીમાં ઇજા થતાં સિવિલમાં ખસેડાતાં આજીડેમ પોલીસને જાણ કરાઇ હતી. ઘર પાસે વિમલ ગાળાગાળી કરતો હોઇ સમજાવવા જતાં માથાકુટ થઇ હતી.