મોરબી રોડ બ્રીજ નીચે પાટા ક્રોસ કરવા જતા ટ્રેનની ઠોકરે મનસુખભાઇ વિરાણીનું મોત
ક્રિષ્નાપાર્કના કોળી પ્રૌઢના મોતથી પરિવારમાં અરેરાટી
રાજકોટ તા. ૧પઃ મોરબી રોડ ઓવરબ્રીજ નીચે રેલવેના પાટા ક્રોસ કરતી વખતે ટ્રેનની ઠોકરે ચડી જતા કોળી પ્રૌઢનું મોત નિપજયું હતું. મળતી વિગત મુજબ મોરબી રોડ ગીરીરાજ પાર્ટી પ્લોટ પાછળ ક્રિષ્ના પાર્કમાં રહેતા મનસુખભાઇ બાબુભાઇ વીરાણી (ઉ.વ. પપ) ગઇકાલે મોરબી રોડ બ્રીજની નીચે રેલવેના પાટા ક્રોસ કરતા હતા ત્યારે ટ્રેનની ઠોકરે ચડી જતા તેને ગંભીર ઇજા થઇ હતી. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને કોઇએ જાણ કરતા ૧૦૮ના ઇએમટી કોમલબેન સહિતે સ્થળ પર પહોંચી તપાસ કરતા કોળી પ્રૌઢનું મૃત્યુ નિપજયું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા બી ડીવીઝન પોલીસ મથકના એએસઆઇ કે. આર. ચોટલીયા તથા રાઇટર અજયભાઇએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક મનસુખભાઇ મજૂરી કામ કરતા હતા. બે પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.