રાજકોટ
News of Friday, 15th June 2018

ભાજપના બે મહિલા કોર્પોરેટરો નારાજઃ મેયર પદ નહિ મળતા રૂપાબેન રડી પડયાઃ ચેરમેન પદ નહી મળતા દુર્ગાબા ચાલ્યા ગયા

રાજકોટ :. આજે મ્યુ. કોર્પોરેશનના જનરલ બોર્ડમાં નવા મેયરની નિમણૂક થઈ તે વખતે મેયર પદના સબળ દાવેદાર ગણાતા રૂપાબેન શીલુએ તેઓને મેયર પદ નહી મળતા નારાજગી વ્યકત કરી હતી અને રડી પડયા હતા જે ઉપરની તસ્વીરમાં નજરે પડે છે. તેઓને નિતીનભાઈ ભારદ્વાજ, કમલેશભાઈ મિરાણી અને ડો. જૈમનભાઈ ઉપાધ્યાય વગેરેએ સમજાવ્યા હતા. ત્યાર બાદ રૂપાબેને જણાવેલ કે, તેઓને પાર્ટીનો નિર્ણય શિરોમાન્ય છે. આ ઉપરાંત વોર્ડ નં. ૧ ના ક્ષત્રિય સમાજના એક માત્ર કોર્પોરેટર દુર્ગાબા જાડેજાએ પણ તેઓને ચેરમેન પદ નહી મળતા નારાજગી વ્યકત કરતા જનરલ બોર્ડ છોડી ગયા હતા અને આજે સાંજે ક્ષત્રિય સમાજની બેઠકમાં આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા નિર્ણય લેવાના હોવાનું જાણવા મળ્યુ હતું. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:22 pm IST)