રાજકોટ
News of Tuesday, 15th May 2018

આ ડીવાઈડર કોણે બંધ કર્યુ? કોર્પોરેશન - પોલીસ કે પછી ત્રીજુ કોઈ?

રાજકોટઃ કાલાવડ રોડ ઉપર અન્ડરબ્રીજ પછી રૈયા રોડ ઉપર જવા માટે સ્વામીનારાયણ મંદીરની સામ આવેલ ડીવાઈડર બંધ કરી દેવાતા લોકોને છેક કોટેચા ચોક સુધી જવું પડે છે. તેવામાં સ્વામીનારાયણ મંદીર પાછળ આવેલ વિસ્તારોમાં રહેતા લોકોને તો પોતાનો રસ્તો પણ બદલી નાખવાની નોબત આવી ગઈ છે.

તેવામાં ખરેખર આ ડીવાઈડર કોણે બંધ કર્યુએ મોટો પ્રશ્ન બની ગયો છે. કોર્પોરેશન- પોલીસ કે ત્રીજુ કોઈ? લોકોને પડતી આ પારાવાર મુશ્કેલી માટે કોણ જવાબદાર છે? વહેલી તકે ઘણા સમયથી ચાલી આવતી આ મુશ્કેલીનું નિવારણ આવે તેવી વિસ્તારના રહેવાસીઓની લાગણી- માંગણી છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)

(4:06 pm IST)