રાજકોટ
News of Thursday, 15th April 2021

રાજકોટ એસ. ટી. બસ પોર્ટમાં કોરોનાનો અજગર ભરડોઃ આજે વધુ ૬૭ કેસઃ અનેક રૂટો રદ

રાજકોટ તા. ૧પ :.. રાજકોટ એસ. ટી. બસ પોર્ટમાં છેલ્લા ૪ દિવસથી કોરોનાએ પડાવ નાખ્યો હોય તેમ અધધધ કેસો બહાર આવી રહ્યા છે, કોર્પોરેશન દ્વારા એસ.ટી. બસ સ્ટેશન ઉપર બહારથી આવતા અને જતા મુસાફરો માટે ટેસ્ટીંગ બૂથ ઉભુ કરાયું છે.

છેલ્લા ર દિવસમાં ૧પ૦ કેસો બહાર આવ્યા બાદ ગઇરાતથી આજે બપોરે ૧ સુધીમાં વધુ ૬૭ કેસો કોરોના પોઝીટીવના મુસાફરોમાં જાહેર થતા હાહકાર મચી ગયો છે, લોકોમાં ભારે ફફડાટ છે, અધિકારીઓ  બીનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરી રહ્યા છે. દરમિયાન ટ્રાફીક સાવ પાંખો થતા અનેક લોકલ રૂટો રદ કરી નખાયા છે, ટ્રાફીક ન થાય તેવી બસો રદ કરી નાખવાની સુચના આવતા અનેક લોકલ રૂટો રદ કરાઇ રહ્યા છે.

(3:33 pm IST)