રાજકોટ
News of Friday, 15th March 2019

વિનાયક ડેન્ટલ કલીનીક અને સૂર્યોદય સ્મોલ ફાયનાન્સ બેન્ક લી.દ્વારા

થેલેસેમીયા પીડિત દર્દીઓના લાભાર્થે આવતીકાલે રકતદાન કેમ્પ

રાજકોટ,તા.૧૫: વિનાયક ડેન્ટલ કલીનીક, સૂર્યોદય સ્મોલ ફાયનાન્સ બેન્ક લી. અને સૌરાષ્ટ્ર વોલન્ટરી બ્લડ બેન્ક દ્વારા આવતીકાલે તા.૧૬ના શનિવારે બપોરે ૧૨ થી સાંજે ૫ સુધી રકતદાન શિબિરનું આયોજન કરેલ છે.

૧૫૦ ફૂટ રીંગ રોડ, અયોધ્યા ચોક, ટાઈમ સ્કવેર બિલ્ડીંગના દુકાનનં.૪માં આવેલ સૂર્યોદય સ્મોલ ફ્રીનાન્સ બેન્ક ખાતે આયોજીત રકતદાન શિબિર સાથે ફ્રી નિદાન કેમ્પ પણ રાખેલ છે.

ઉલ્લેખનિય છે કે વિનાયક ડેન્ટરલ કલીનીક (નાગેશ્વર જૈન મંદિરની સામે જૈનમ એપાર્ટમેન્ટ) છેલ્લા એક વર્ષથી કાર્યરત છે. જેમાં જય ત્રિવેદી સેવા આપે છે. જયારે ડો.ભાવિ ત્રિવેદી હાલમાં કાલાવડ રોડ સ્થિત સત્યસાંઈ હાર્ટ હોસ્પિટમાં ડેન્ટલ ડિર્પામેન્ટમાં કાર્યરત છે.

તસ્વીરમાં સૂર્યોદય સ્મોલ ફાયનાન્સ બેન્કના બ્રાંચ મેનેજર શૈલેષ મુકાદમ, પિયુષ પરમાર (મો.૮૮૬૬૩ ૧૭૯૦૯), ડો.જય ત્રિવેદી  (મો.૮૨૦૦૫ ૮૪૬૮૨), ડો.ભાવિ ત્રિવેદી અને પ્રકાશ પંડયા નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:52 pm IST)