કાલે ચેમ્બરના સભ્ય પરિવારનું સ્નેહ મિલનઃ મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે
સાંઇરામ દવેનો હાસ્ય કાર્યક્રમઃ સન્માન સમારોહ
રાજકોટ તા. ૧પ :.. વેપાર - ઉદ્યોગની વરિષ્ઠ અને મુકત મહાજન સંસ્થા 'રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી'ના વિશાળ સભ્ય પરિવારનું સ્નેહ મિલન, હાસ્ય કાર્યક્રમ અને સ્વરૂચી ભોજન સમારંભ તથા વિવિધ ક્ષેત્રના પ્રતિભાશાળીઓના સન્માન સમારંભનું તા. ૧૬-૩-ર૦૧૯ શનીવારના રોજ આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં શોભામાં અભિવૃધ્ધિ વધારવા ગુજરાત રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી ઉપસ્થિત રહેશે.
આ સ્નેહ મિલન કાર્યક્રમમાં સુપ્રસિધ્ધ હાસ્ય કલાકાર શ્રી સાંઇરામ દવે સભ્ય પરીવારને હાસ્યરસ પીરસીતરબોળ કરશે. રાજકોટ ચેમ્બરનાં સભ્યોએ ખુબ જ ઉત્સાહ દાખવેલ છે. અને આજ સુધીમાં બહોળી સંખ્યામાં સભ્યોએ પાસ મેળવેલ છે. જેથી જે સભ્યોને પોતાના પાસ મેળવવાના બાકી હોય તેઓએ તુરંત ચેમ્બરની ઓફીસેથી મેળવી લેવા તથા આ કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે. તેમ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની અખબારી યાદીમાં જણાવેલ છે.