રાજકોટ
News of Friday, 15th March 2019

ગુરૂપ્રસાદ ચોકમાં કાર અને રિક્ષા અથડાતાં કૈલાસભાઇ ચૌહાણને ઇજાઃ બંને વાહનમાં નુકસાન

ગુરૂપ્રસાદ ચોકમાં રાત્રીના કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા બંને વાહનોમાં ભારે નુકસાન થયું હતું. અકસ્માતમાં રિક્ષામાં બેઠેલા કૈલાસભાઇ નાનુભાઇ ચૌહાણ (રજપૂત) (ઉ.૪૫-રહે. ગોકુલધામ આર.એમ.સી. કવાર્ટર નં. ૧૭)ને ઇજાઓ થતાં હોસ્પિટલમાં ખસેડાયા હતાં. આ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી. કૈલાસભાઇએ સારવાર લઇ રાત્રે જ રજા લીધી હતી. રાત્રે અકસ્માતને પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. અકસ્માતગ્રસ્ત વાહનોની તસ્વીરો સોશિયલ મિડીયામાં વાયરલ થઇ હતી.

(3:40 pm IST)