આજે સાંજે ગીત સંગીત સંધ્યા
રાજકોટઃ તા.૧૫, દિલસુંદર કરાઓકે ગ્રુપ અને શ્રીશકિત એજયુકેશન ચેરીટેબલ રાજકોટ દ્વારા ગીત-સંગીત સંધ્યા આજે તા.૧૫ના શનિવારે સાંજે ૫:૩૦ કલાકે ઇવનીંગ પોસ્ટ પાર્ક પ્રભુકૃપા હોસ્પીટલની સામે આરડીસીબેંકની બાજુમાં યોજેલ છે.
સીનીયર સીટીઝનો તથા ગીતસંગીત પ્રેમી શ્રોતાઓ માટે આયોજીત વિનામુલ્યે સંગીતસંધ્યામાં સંસ્થાના પ્રમુખશ્રી જયપાલસિંહ ઝાલા, આયોજનમાં એન્કરશ્રી નટુભાઇ બી રાઠોડ તથા દિલસુંદર કરાઓકે મ્યુઝીક ગ્રુપના કમીટી મેમ્બર-ઇવનીંગ પોસ્ટ પાર્ક મુખ્ય સંચાલક ગાયક શ્રી દિલીપભાઇ સોની તથા તેના ગાયકવૃન્દનો કલાકારોમાં સર્વશ્રી નિરૂબેન ડાભી, પ્રવિણભાઇ ડાભી, કાશ્મીરાબેન ગંગદેવ, ભાવેશ વ્યાસ, ભરતભાઇ ઢાકેચા, દિપકભાઇ કકકડ, મહેશભાઇ ચાવડા, બીપીનભાઇ ચાવડા ગાયકો દ્વારા સંગીત સંધ્યામાં જુના- નવા હિન્દી ફિલ્મોના ગીત પીરસશે.
સંગીત પ્રેમીઓને કાર્યક્રમ માણવા જયપાલસિંહ ઝાલા, નટુભાઇ બી રાઠોડ અને દિલીપભાઇ સોની દ્વારા અનુરોધ કરાયો છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)