રાજકોટ
News of Saturday, 15th February 2020

પૂ. હરિચરણદાસજીબાપુ સ્વસ્થ : હોસ્પિટલમાંથી રજા : ગોંડલ જવા રવાના

રાજકોટ : પૂ.હરિચરણદાસજી બાપુને આજરોજ વોકહાર્ટ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. તેઓની તબિયત સારી હોવાનું તબીબોએ જણાવ્યુ છે. પૂ.ગુરૂદેવને હોસ્પિટલમાંથી સીધા જ આઈસીયુ વેનમાં ગોંડલ લઈ જવાયા છે. ગોંડલ ખાતે પણ પૂ.ગુરૂદેવના રૂમમાં ઈમરજન્સી સેવાઓને લગતી તમામ સુવિધાઓ રાખવામાં આવી છે. ગોંડલ ખાતે પણ સીસીટીવી રાખવામાં આવ્યા છે જયાં ભાવિકો ટીવી સ્ક્રીન ઉપર તેઓના દર્શન નિહાળી શકશે. વોકહાર્ટ હોસ્પિટલ ખાતેથી પૂ.ગુરૂદેવને આઈસીયુ વાનમાં લઈ જવાયા છે તે વેળાની તસ્વીર. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(12:09 pm IST)