News of Thursday, 15th February 2018
અલ્હાબાદ-રાજકોટમાં દલિત યુવકોના મોત અંગે વિરોધઃ કલેકટરને આવેદન
રાજકોટ તા. ૧પ :.. શહેરના સ્વયમ સૈનિક દળ એકમે રાજકોટ કલેકટરને આવેદન પાઠવી અલ્હાબાદ અને રાજકોટમાં થયેલ દલિત યુવકોના મોત અંગે વિસ્તૃત રજૂઆતો કરી હતી.
આવેદનમાં ઉમેરાયું હતું કે, ઉત્તર પ્રદેશ રાજયનાં અલ્હાબાદ શહેરમાં દલિત વિદ્યાર્થી દિલીપ સરોજની સરાજાહેર હત્યા કરવામાં આવેલ છે.
બીજૂ એ કે રાજકોટ શહેરનાં મવા ગામનાં જયભીમ વિસ્તારમાં રહેતા દલિત યુવક હિતેષ કિશોરભાઇ મકવાણા મીત્રો સાથે બહાર ફરવા જાય છે. અને તેની રહસ્યમય હાલતમાં લાશ મળે છે. આ બાબતે પોલીસ દ્વારા યોગ્ય તપાસ થાય તેવી માંગણી છે.
(5:02 pm IST)