દશનામ ગોસ્વામી સમાજ દ્વારા શિવ શોભાયાત્રા
ગોંડલ રોડ ચારભુજા મારબલની બાજુમાં નાગેશ્વર મહાદેવ મંદિરેથી પ્રસ્થાન થયેલ શિવ શોભાયાત્રાનું દશનામ ગોસ્વામી સમાજની ૧૧ દિકરીઓને સાફા પહેરાવીને પ્રસ્થાન કરવામાં આવેલ. શોભાયાત્રામાં સાધુ સંતો-મહંતો ગોસ્વામી સમાજના ભાઇઓ, બહેનો યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતાં. મુખ્ય રથ બરફની શિવલીંગ આર્કષણનું કેન્દ્ર બની રહેલ. તોપના ગોળાથી ફુલો વરસાદ કરવામાં આવ્યો અને જુદા જુદા ફલોટસ રજૂ કર્યા. રસ્તામાં શિવ તાંડવ રજૂ કરવામાં આવ્યું. રાજમાર્ગો ઉપર શોભાયાત્રા ફરી વળી ત્યારે વિવિધ સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવ્યુ. છેલ્લે મવડી વિસ્તારમાં બી. ડી. કામદાર સોસાયટીમાં સમાપન થયેલ. રાત્રે ૮ વાગ્યે સમાપન વખતે મહા આરતી કરવામાં આવી. મહાપ્રસાદ મહા ફરાળની પણ વ્યવસ્થા કરાઇ હતી. દાતાઓનું સન્માન કરાયુ હતું.