ભાડાવાળી જગ્યા ખાલી કરાવતા ભાડુઆત દ્વારા મકાન માલીક સામે દાવો થતાં કોર્ટની નોટીસ
રાજકોટ,તા. ૧૫ ઃ અત્રે લેન્ડ ગ્રેબીંગ એકટનો દુરઉપયોગ કરીને જુના ભાડાવાળી દુકાન ખાલી કરાવવા દુકાન માલિકની ચાલાકી સામે ભાડુઆતે સિવિલ દાવો કોર્ટમાં કરતા અદાલતે નોટીસ કાઢેલ છે.
આ કેસની વિગત એમ છે કે, રાજકોટ શહેરમાં બેડીપરા વિસ્તારમાં શીતલા પુલની સામે સૈફી સ્કુલની સામે આવેલ હડીયાણાવાલા મેન્શન નામની ઇમારતમાં આવેલ દુકાનના જુના ભાડુઆત કમલેશ ચંદુભાઇ મકવાણા સામે નફીસાબેન કમરૃદીન હડીયાણાવાલાએ ભાડુઆતની દુકાન ખાલી કરાવવા લેન્ડ ગ્રેબીંગ એકટનો દુરઉપયોગ કરતા ભાડુઆત કમલેશ ચંદુભાઇ મકવાણાએ રાજકોટની સિવિલ કોર્ટમાં વિજ્ઞાપન અને દુકાન ખાલી ન કરાવે તેવો મનાઇ હુકમ મળવા સિવિલ દાવો દાખલ કરતા માલિકને નોટીસ કરેલ છે. એ કેસમાં ભાડુઆત વતી એડવોકેટ શ્રી ધર્મેશ યુ.વકીલ, મૌલીક ડી.વકીલ, જીતેન્દ્ર પી. મારૃ રોકાયેલ છે.