જુના મોરબી રોડ ખોડીયાર પાર્કમાં મયુર અને પત્નિ નિશા પર હુમલોઃ ઘર પર પાણાવારી
મયુરના પિતાને પંજાબી ચાઇનીઝની લારીવાળા અક્ષય સાથે અગાઉ ઝઘડો થયો હોઇ ખાર ઉતારાયો
રાજકોટ તા. ૧૫: જુના મોરબી રોડ પર ખોડિયાર પાર્કમાં રહેતાં રિક્ષાચાલક મયુર વિનોદભાઇ સાગઠીયા (ઉ.૨૫) અને તેના પત્નિ નિશા મયુર સાગઠીયા (ઉ.૨૫) પર સંક્રાંતની સાંજે પાંચેક વાગ્યે બંને ઘરે હતાં ત્યારે નજીકમાં ધોળકીયા સ્કૂલ નજીક પંજાબી ચાઇનીઝની લારી રાખી ધંધો કરતાં અક્ષય સહિતના શખ્સોએ આવી ધોકાથી હુમલો કરી બંનેને ઇજા પહોંચાડતાં અને ઘર પર પથ્થરમારો કરતાં પતિ-પત્નિ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં ચોકીના હેડકોન્સ. વાલજીભાઇ નિનામાએ બી-ડિવીઝનમાં જાણ કરી હતી.
મયુરના કહેવા મુજબ અગાઉ અક્ષયની લારીએ કામે રહેવા બાબતે તેના પિતા વિનોદભાઇને ઝઘડો થયો હતો. આ બાબતનો ખાર રાખી પોતાને પહેલા રસ્તામાં અક્ષયે ઉભો રાખી ઝઘડો કર્યો હતો. એ પછી પોતે ઘરે જતાં બધાએ ઘરે આવી ઘર પર પાણકાના ઘા કરી પોતાને અને પત્નિને મારકુટ કરી હતી.
રામાપીર ચોકડીએ દિનેશ
પર ધોકાવાળી
અન્ય બનાવમાં ગાંધીગ્રામ રામાપીર ચોકડી પાસે શાષાીનગરમાં રહેતાં દિનેશ રમેશભાઇ કાથરીયા (ઉ.૨૮)ને સંક્રાંતની સાંજે રામાપીર ચોકડી લવજીભાઇની હોટલ પાસે હતો ત્યારે ચંદુ, દિનેશ સહિતે ઝઘડો કરી ધોકાથી માર મારતાં સિવિલમાં દાખલ થતાં યુનિવર્સિટી પોલીસને જાણ કરાઇ હતી.