રાજકોટ
News of Friday, 15th January 2021

લોકોને એડવાન્સમાં સમાચાર આપવામાં 'અકિલા' ફરી એક વખત અગ્રેસર રહ્યું

રાજકોટઃ લોકોના જાગૃત પ્રહરી તરીકે ''અકિલા''એ ફરી એક વખત સચોટ સમાચાર પ્રદાન કરી પોતાના વિશાળ વાચકવર્ગની વિશ્વનીયતામાં યશકલગીનું વધુ એક પીછુ ઉમેર્યું છે. સૌથી પહેલા સમાચાર પ્રસિદ્ધ કરવાનો સિલસિલો ''અકિલા'' એ જાળવી રાખ્યો છે ૪ મહાનગરોમાં જારી રાત્રી કફર્યું હજુ યથવત રહેશે  તે સમાચાર 'અકિલા'એ સૌ પ્રથમ બુધવારની આવૃતિમાં પ્રસિદ્ધ કર્યા હતા. ''અકિલા''એ બુધવારે જ મુખ્યમંત્રી સાથે ટેલીફોનિક વાતચીત કરી કફર્યુ અંગેના સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા જે સંદર્ભે મુખ્યમંત્રીશ્રીએ આજે જામનગર ખાતે જાહેરાત કરી હતી કે હજુ ૧પ દિવસ ચારેય મહાનગરોમાં રાત્રીના ૧૦ થી ૬ સુધીનો કફર્ર્યુ ચાલુ રહેશે આમ અકિલાના ફરીવખત સમાચાર આપવામાં અગે્રસર રહ્યું છે.

(4:31 pm IST)