રાજકોટ
News of Friday, 15th January 2021

યજ્ઞ અને યજ્ઞ ચિકિત્સા : એક વિજ્ઞાન

અત્યાર સુધી આપણે એવું માનતા કે હવન કરવાથી આપણે આપણા દેવી-દેવતાઓને ખુશ કરી શકીએ છીએ પરંતુ વૈજ્ઞાનિક સંશોધનો પછી આપણને ખબર પડી કે હવન એક વૈજ્ઞાનિક પધ્ધતિ છે જેના દ્વારા શારીરિક સ્વાસ્થ્ય, પ્રાણ, સ્વાસ્થ્ય, ઉર્જા તેમજ માનસિક રોગ તેમજ ભૌતિક સુખો મેળવી શકાય છે.

યજ્ઞકુંડના પ્રકાર તેમજ તેના ઉપયોગ

ચતુષ્કોણ આપણે બધાએ લગભગ એક પ્રકારનો યજ્ઞકુંડ જોયો હશે. જે લગભગ બધી જ જગ્યાએ વાપરવામાં આવે છે.

કોઇપણ શારીરિક વ્યાધિ (વૈદ્યકિય ઉપાય) માટે ત્રિકોણ આકારનો હવન સૌથી ફાયદાકારક હોય છે.

યોનીકુંડ

બાળક ન થતા હોય તેમના માટે યોનીકુંડ સૌથી સારો વિકલ્પ છે. દશરથ રાજાએ આ કુંડનો ઉપયોગ કરી પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરેલ જેથી શ્રી રામનો જન્મ થયેલ હતો. તેવું શાસ્ત્રોમાં જોવા મળે છે.

આ સિવાઇ વિભિન્ન પ્રકારના બીજા કુંડ જે કયારેક કયારેક ઉપયોગમાં લેવામાં આવે. જેવા કે શષ્ટકુંડ, અષ્ટકુંડ, વૃતકુંડ, પદ્યાકુંડ

હવન ઉપયોગી ઔષધિઓ

(૧) શષ્ટ : આંબો, આંકડો, ખાખરો, ખેર, ખીજડો, અઘેરો, ઉમરો, પિપળો, ડાભળો, ધ્રોખડ

(ર) અલગ - અલગ નવ ગ્રહ માટેના ઔષધો

(૩) ગૌવૃત, તલ, જળ, ઔષધિઓ

(૪) વિભિન્ન પ્રકારની ઔષધિઓ : અલગ અલગ રોગ પ્રમાણે વૈજ્ઞાનિક નિયમો જે દવામાં ઉપયોગમાં લેવામાં આવે છે.

યજ્ઞ માટેની વિધિ વૈજ્ઞાનિક પધ્ધતિને આધારિત ચિકિત્સા તરીકે કામ આપે છે

૧. ગરમી : તાપને કારણે પરસેવાના છીદ્રો ખૂલી જાય છે જેના દ્વારા ઔષધિના રસ બહુ જ આરામથી શરીરમાં શોષાઇ શકે છે જે લોહીમાં ત્વરિત ભળી શકે.

ર. ધુમાડો : કાષ્ટને હવનમાં હોમવાથી તીવ્ર ધુમાડો થાય છે. તેમજ ઔષધિઓ સાથે ઘી હોમવામાં આવે છે. જેના કારણે ધુમાડો તેમજ ઘીના 'નેનો-પાર્ટીકલ' સીધા જ નાક સુધી પહોંચે છે. નાકમાં Mucosal Layer હોય તે બહુ જ જલ્દી આ ઔષધીનેશોષી લે છે અને લોહીમાં ભેળવીને શરીરના બધા જ અંગો સુધી પહોંચાડે છે.

૩. ગૌધ્રુત : ઔષધિ માટે વાહક તરીકે ઉપયોગ કરવામાં આવે છે જે ચામડી તેમજ Mucosal માંથી ઔષધિના ગુણ શોષી લેવામાં મદદ કરે છે.

મહામૃત્યુંજય મંત્ર અને તેની વિશિષ્ટતાઓ

આપણે રોજબરોજ સાંભળતા એક મંત્રની વાત કરીએ જેના મતલબ સુધી આપણે કોઇ દિવસ નથી ગયા. જેને આપણે મહામૃત્યુંજય મંત્ર કહીએ છીએ.

›œIdASુ એટલે અહીં ઉલ્લેખ કરવામાં આવે છે, તામ્રવર્ણી. એટલે કે તાંબા જેવું સુડોળ અને તંદુરસ્તી ધરાવતી વ્યકિત ;]UlgW5]lQ8JW"GD એવી સુગંધ જેવી સુવાસથી સ્વાસ્થ્ય ઉન્નત બને છે, નિરોગી બને છે.

pJF"~SlDJAGWGFG  જે કોઇ પણ બંધનો છે, ખાસ કરીને રોગરૂપી બંધનો તેવા બંધનોથી દૂર કરીને

D'tIMD'"1FLIDFD'TFT : મૃત્યુ પીડા વગરનું અને મોક્ષ પ્રાપ્ત થાય તેવું મળે જે કોઇ પણ ધાર્મિક ગ્રંથ કે વેદની અંતિમ સારાંશ છે.

આ રીતે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ઉપરોકત રીતે મહામૃત્યુંજય મંત્રનું મહત્વ દર્શાવાય છે.

વિધિ : ટૂંકમાં સાર સમજીએ

(૧) પ્રાણાયામ : પ્રાણાયામ એ સૂક્ષ્મ નાડીને જાગૃત કરવાની પધ્ધતિ છે. જેના થકી શરીરની શોષણ કરવાની શકિત વધે છે.

(ર) તિલક : તિલક કરવાથી શ્વેતપિંડ નામથી ગ્રંથી એકટીવેટ થાય છે. અલગ-અલગ તિલક અથવા અલગ-અલગ વસ્તુથી કરવામાં આવે તિલકની અસરો પણ અલગ-અલગ હોય છે. (લાલ, શકિતપુજા, વંદન : માનસિક શાંતિ)

(૩) કણ કણ બંધન (કાંડુ) : પુરૂષોમાં જમણા હાથમાં કણ કણ બંધનની જગ્યાએ જે નાડી હોય તેના પર પ્રેશર આપવાથી સુસ્તી ઘટે છે તેમજ માણસ એલર્ટ રહે છે.

(૪) સંકલ્પ : કોઇપણ કાર્ય કરતા પેલા સંકલ્પ કરવો ખૂબ જરૂરી છે. તો જ નિર્ધારીત ફળ મળે. જેમાં આપણે નામ ગોત્ર તેમજ જીપીએસ અથવા ટાઇમઝોનનો ઉલ્લેખ કરીએ છીએ, કારણ કે દુનિયાનું મેમરીવાળુ કમ્પ્યુટર પાણી છે. જ્યાં પણ આપણે પાણીનો ઉપયોગ લઇ છીએ ત્યારે આપણા સંકલ્પ સુધી પહોંચવામાં ઉપયોગી બને છે. આપણું શરીર ૭૦% પાણીથી બનેલું હોય છે જે આ માટે સૂચક છે.

(૫) અક્ષર : આ એક જ શકિત એવી છે જે અવિનાશી છે.

U]l^TTF1FDJ|CdEUJFG5]Z]QFMTdH5[DGM-

l;ãd;gtIdD]bT[EJAgãGFYo

V1FZ¥A|ï5ZDd:JEFJwItdDFD]R[T[

E]TFEFJMNjÉTMlJ;U"o Sd;"luGTo

(૬) શિખાબંધ

(૭) કુશિ પવિત્ર

(૮) દેવતા નમસ્કાર

(૯) શંખપૂજન

(૧૦) ઘંટપૂજન

(૧૧) આરતી

(૧૨) પ્રક્રિયા વાચન

(૧૩) અભિષેક

(૧૪) ધ્યાન

(૧૫) વિશ્વદેવ સંકલ્પ

(૧૬) આયુષમંત્વ

(૧૭) કુંડ પૂજન

(૧૮) અગ્નિધ્યાન, સ્થાપક

રોગ પ્રમાણેની ઔષધિઓ જે યજ્ઞમાં વપરાય છે

તાવ : દાડમના બી.

ખાંસી : ધાયના કુલ

મધુપ્રમેહ  (ડાયાબિટીસ) : મુસલી, સતવારી મગજના રોગોમાં શંખપુષ્પી, બ્રાજ્ઞમી, ગોરખામુડી

વંધ્યત્વ : જટાવસી, શિવલિંગી, શિલાજીત

ડો. હેફકિન (ફાંસ)ના મત મુજબ ઘી હોમવાથી તેના ધુવાડાને લીધે અનેક પ્રકારના બેકટેરીયા તેમજ વાયરસનો નાશ થાય છે. એવો પણ દાવો થાય છે કે ગાયના અડાયા છાણામાં ગાયનું ઘી હોમવાથી રેડીએશન સામે પણ રક્ષણ મળે છે.

અપામાર્ગના બીયાથી નિરોગી બની રોગ દૂર થાય છે. જે કોરોના જેવો જ ગંભીર રોગ હતો ૧૯૧૮/વરસાદ માટે વેતની સમાધિ તેમજ પુષ્પનો ઉપયોગ થાય છે તેમજ વરસાદ રોકવા માટે દૂધ અને લોવણનો ઉપયોગ કરાય.

આલેખન : સંકલન

ડો. નિલેશ નિમાવત

એમ.એસ. સર્જન,

દેવ હોસ્પિટલ, રાજકોટ.

મો. ૯૮૭૯૩ ૨૯૩૬૫

(3:20 pm IST)