રાજકોટ બસ સ્ટેશનમાં પીએસઆઈ ચાવડાની રિવોલ્વરમાંથી ગોળી છૂટતા મુસાફર હિમાંશુ ગોહેલનું મોતઃ લોકોના ટોળા ઉમટી પડ્યા
રાજકોટ બસ સ્ટેશનમાં આજે સાંજે પીએસઆઈ પી.પી.ચાવડાની રિવોલ્વરમાંથી ગોળી છૂટતા નિર્દોષ મુસાફર હિમાંશુભાઈ ગોહેલનું મૃત્યુ થયાનું જાણવા મળે છે : લોકોના ટોળા ઉમટી પડ્યા છે : આ લખાય છે ત્યારે ડીસીપી, એસીપી સહિતના પોલીસ કાફલા સાથે સ્થળ ઉપર દોડી ગયા છે : શહેર આખામાં આ બનાવની ભારે ચર્ચા ચાલી રહી છે : હાલ તુરંત એવી વાત બહાર આવી રહી છે કે બસ સ્ટેશન ચોકીમાં પીએસઆઈ પોતાની સર્વિસ રિવોલ્વરનું નવું કવર ચડાવતા હોય તે વખતે અકસ્માતે ગોળી છૂટતા આ કરૂણ ઘટના બની છે : જો કે વધુ વિગતો આ સમગ્ર કેસની તપાસ બાદ બહાર આવશે : મૃતક હિમાંશુભાઈ પાસેથી આધાર કાર્ડ સહિતના ઓળખકાર્ડો મળી આવેલ : જેના પરથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે : ઘટનાની જાણ થતા ૧૦૮ના નિલેશભાઈ સહિતનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો.