જલગાવમાં પૂ. ધીરગુરૂદેવની નિશ્રામાં કાઠિયાવાડી જૈન ઉપાશ્રય નિર્માણ યોજના
રાજકોટ,તા.૧૫: મહારાષ્ટ્રમાં ખાનદેશનું મુખ્ય શહેર જલગાંવમાં દશા શ્રી કાઠિયાવાડી સ્થા. જૈન સંઘના ઉપક્રમે પ્રથમવાર પૂ. શ્રી ધીરગુરૂ દેવના પદાપર્ણથી ઉમંગ છવાયો હતો. શ્રી જિતેન્દ્ર કોઠારી મંગલ કાર્યાલયમાં શય્યા દાન સમારોહ રતનલાલ સી. બાફનાની અધ્યક્ષતામાં યોજાયેલ. જૂની પેઢીના ઘેલાભાઇ નાનજી ખીલોસીયાના ટ્રસ્ટીઓ એ નૂતન ઉપાશ્રય નિર્માણમાં રૂ.૮૧ લાખનું અનુદાન અર્પણ કરતાં ઉમંગ છવાયો હતો. ઇન્દૌરના વિક્રમભાઇ દેસાઇએ ટાઇલ્સ અર્પણની ઘોષણા કરેલ. આકોલા સંઘે લાભ આપવા વિનંતિ કરેલ.
ઉપાશ્રય, આયંબિલ ભવન, વિવિધ લક્ષી હોલ તેમજ ગૌતમ ગોચરી ગૃહ, સોપાન સીડી વગેરે માટે દાતા આવકાર્ય છે. દલીચંદભાઇ ચોરાડીયા, રજનીકાંતભાઇ કોઠારી, વગેરેનું સન્માન કરાયું હતું . અનિલભાઇ ગોકુળદાસ કામદારે સ્વાધ્યાય રૂમનો લાભ લઇને ઉત્સાહ વધાર્યો હતો. નિમેષ કોઠારી, જીતેન્દ્ર શાહ, રશ્મિ સંઘવી, કનકભાઇ શાહ, વગેરે એ શુભેચ્છા પ્રવચન કરેલ. સંઘ પ્રમુખ જયેશ કામાણીની દેખરેખ હેઠળ સમારોહ સંપન્ન થયેલ. અત્રેથી પૂ. ગુરૂદેવ મલકાપુર, ખામગાંવ થઇ રવિવારે આકોલા પધારશે. ત્યારબાદ અમરાવતી તરફ વિહાર થશે.