રાજકોટ
News of Wednesday, 15th January 2020

'તુ વાંજણી છો તને માતાજી નડે છે' કહી...શાંતિનગરમાં મધુબેન ગોલતરને ત્રાસ

પતિ ઘોઘા ગોલતર, સાસુ મંગુબેન, સસરા વિધા ગોલતર, જેઠ નોંઘા ગોલતર, જેઠાણી ધની સામે ગુનો

રાજકોટ તા.૧૫: શહેરના યુનિવર્સિટી રોડ પર બી.ટી.સવાણી હોસ્પિટલ પાછળ ભારતનગરમાં સાસરીયુ ધરાવતી ભરવાડ પરિણીતાને પતિ, સાસુ, સસરા, જેઠ અને જેઠાણી 'તુ વાંજણી છો તને માતાજી નડે છે, તને સંતાન થતા નથી 'કહી ત્રાસ આપતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ દોઢસો ફૂટ રોડ પર સોમનાથ સોસાયટી-૧માં લક્કી પાર્કમા માવતર ઘરે છેલ્લા દોઢ વર્ષથી રહેતી મધુબેન ઘોઘાભાઇ ગોલતર (ઉ.વ.૨૯)એ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં યુનિવર્સિટી રોડ પર ભારતનગરમાં રહેતા પતિ ઘોઘા ગોલતર, સસરા વિઘા ગોલતર, સાસુ મંગુ ગોલતર, જેઠ નોંઘા ગોલતર અને જેઠાણી ધની ગોલતરના નામ આપ છે. મધુબેને ફરિયાદમાં જણાવ્યુ છે કે, પોતાના પાંચ વર્ષ પહેલા ભારતનગરમા રહેતા ઘોઘા વિઘા ગોલતર સાથે લગ્ન થયા હોય પોતે પતિ, સાસુ, સસરા, જેઠ અને જેઠાણી સાથે સંયુકત પરિવાર સાથે રહેતા હતા. શરૂઆતમા એકાદ વર્ષ સુધી પોતાને સારી રીતે રાખેલ પરંતુ પોતાને સંતાન થતા ન હોઇ જેથી પતિ 'તુ કંઇ કામની નથી તું વાંજણી છો, તારામાં કંઇ છે જ નહિ' તેમ મેણાટોણા મારતા હતા. અને પિયરમા પણ જવા ન દેતા અને સાસુ કહેતા કે 'તું વાંજણી છો તને માતાજી નડે છે' તને કાઢી મુકવી છે' તેમ મેણાટોણા મારતા હતા અને પોતાના હાથનુ ખાતાપણ ન હતા પોતે બધુ સહન કરતા હતા પરંતુ આ લોકોનો ત્રાસ વધતા પોતે પતિ સાથે બી.ટી.સવાણી હોસ્પિટલ પસો અલગ રહેવા ગયા હતા. અને સાસુ, સસરા, જેઠ અને જેઠાણી કાલાવડના મુરીલા ગામમાં રહેવા ગયા હતા આ પછી પણ પતિ વારંવાર આ બાબતે મેણા મારી ગાળો આપી માર મારતો અને રાત્રે ઘરમાંથી કાઢવાની વાતો કરતો પણ પોતાને સંસાર ચલાવવો હોઇ જેથી સહન કરતા હતા બાદ જેઠ-જેઠાણી પણ રાજકોટ કામકાજ કરવા માટે પોતાની સાથે રહેવા આવ્યા હતા. ત્યારે પણ જેઠ પોતિને ચઢામણી કરતા પતિએ ઝઘડો કરી માર મારી ઘરમાંથી પહેરેલ કપડે કાઢી મુકતા પોતે માવતરના ઘરે રહેવા આવ્યા હતા. બાદ આ અંગે પોતે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ એન.બી.ડોડીયાએ તપાસ હાથ ધરી છે.

(3:52 pm IST)