News of Wednesday, 15th January 2020
૭૧માં પ્રજાસત્તાક દિન નિમિતે ૭૧ લોકો દ્વારા સાઇકલ યાત્રા
સાઇકલસવારો બંધારણ જાગૃતિનો સંદેશ આપશે
રાજકોટ : જિલ્લા વિકાસ અધિકારી અનિલકુમાર રાણાવાસિયાએ પત્રકારોને જણાવેલ કે, ૭૧માં પ્રજાસત્તાક દિન નિમિત્તે જિલ્લામાં ૭૧ પ્રોફેશન સાઇકલસવારો દ્વારા સાઇકલ યાત્રાનું આયોજન છે તે તા.૧૮થી ર૪ સુધી જિલ્લામાં ફરીને બંધારણ વિશે જનજાગરણ કરશે. લોધિકા, ઉપલેટા, ગોંડલ, જસદણ વગેરેમાં રાત્રી રોકાણ થશે. કુલ ૩૭૦ કિ.મી.નો રૂટ છે. એન.સી.સી.ના ભરતસિંહ પરમાર આ કાર્યક્રમનું નેતૃત્વ સંભાળશે.
(3:47 pm IST)