રાજકોટ
News of Wednesday, 15th January 2020

રૂખડીયાપરામાં રહેતાં સફાઇ કામદાર રમેશભાઇનું બેભાન હાલતમાં મોત

રાજકોટઃ રૂખડીયાપરામાં ગેલ માતાજીના મંદિર પાસે રહેતાં અને બેડીનાકા વોર્ડ નં. ૪-અમાં સફાઇ કામદાર તરીકે નોકરી કરતાં રમેશભાઇ અમરાભાઇ પુરબીયા (વાલ્મિકી) (ઉ.૫૯) રાત્રે બારેક વાગ્યે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(12:42 pm IST)