રાજકોટ
News of Monday, 13th January 2020

મહાનગરપાલિકા દ્વારા સ્વામી વિવેકાનંદજીની ૧૫૭મી જન્મજયંતિ નિમિતે પુષ્પાંજલિ અર્પણ કરતા પદાધિકારીઓ

 મહાનગરપાલિકા દ્વારા ગઇકાલે તા.૧૨ના રોજ સ્વામી વિવેકાનંદજીની ૧૫૭મી જન્મજયંતિ નિમિત્તે તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, આસી.કમિશનર હર્ષદ પટેલ, સેનિટેશન સમિતિ ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા, બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડિયા, બાગ બગીચા ચેરમેન વિજયાબેન વાછાણી, ગાર્ડન વિભાગના ડિરેકટર કે.ડી. હાપલીયા, કોર્પોરેટર મનસુખભાઈ કાલરીયા, દુર્ગાબા જાડેજા, પ્રીતીબેન પનારા, ભાજપ અગ્રણી દશરથસિંહ વાળા, વોર્ડ નં.૧૦ના મહામંત્રી હરેશભાઈ કાનાણી, વિગેરે ઉપસ્થિત રહ્યા હતા તે વખતની તસ્વીર.

(4:24 pm IST)