શ્રીનાથજી સોસાયટીના નાનજીભાઇ અને ગોકુલધામના ઉદયભાઇનું બીમારીથી મોત
રાજકોટ તા.૧૪: મવડી રોડ શ્રીનાથજી સોસાયટીના વૃધ્ધ અને ગોકુલધામ સોસાયટીના યુવાનનુ બીમારીના કારણે બેભાન હાલતમાં મોત નિપજ્યુ છે.
મળતી વિગત મુજબ મવડી રોડ પર શ્રીનાથજી સોસાયટી શેરી નં.૫માં રહેતા નાનજીભાઇ મેરામભાઇ વણાટ (ઉ.વ.૬૦) આજે બીમારી સબબ બેભાન થઇ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું.
આ બનાવ અંગે પીએસઆઇ એચ.એમ.જાડેજા એ કાર્યવાહી કરી હતી જયારે બીજા બનાવમાં કૃષ્ણનગર મેઇન રોડ પર ગોકુલધામ સોસાયટીમાં રહેતા ઉદય કુમાર નાનજીભાઇ ડાભી (ઉ.વ.૪૬) પોતાના ઘરે હતા ત્યારે બીમારીના કારણે બેભાન થઇ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતુ. આ અંગે માલવીયાનગર પોલીસ મથકના પીએસઆઇ એ.આર.મલેકે કાર્યવાહી કરી હતી.