રાજકોટ
News of Thursday, 14th November 2019

શું ચાચા નહેરૂનું સપનું રોળાય રહ્યું છે?

આજે ૧૪ નવેમ્બર એટલે દેશના પ્રથમ વડાપ્રધાન અને બાળકોના પ્રિય ચાચા નહેરૂનો જન્મદિવસ. તેમનો જન્મદિવસ બાળદિન તરીકે ઉજવવામાં આવે છે. પણ રાજકોટ શહેરની ઉપરોકત તસવીરમાં કંઈક અલગ જ દ્રશ્ય છે. માતાની શાકની રેકડીમાં બાળક, કચરા પાસે રમતા બાળકો અને પોતાના નાના ભાડુંળાને તેડીને જતી મોટી બહેનનું દ્રશ્ય ચાચા નહેરૂની કલ્પના કરતા અલગ જ દર્શાય છે. દેશભરમાં બાળકોના કુપોષણ સામે, શિૅક્ષણ માટે અનેક પ્રયાસો થકી નહેરૂજીના સ્વપ્નના ભારતના બાળકો માટે અનેકવિધ યોજનાઓ અમલમાં છે.(તસવીરઃ અશોક બગથરીયા)

(4:11 pm IST)