રાજકોટ
News of Thursday, 14th November 2019

ચુનારાવાડના સવજીભાઇ કોળીનું પણ બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૧૪: ચુનારાવાડ-૭માં રહેતાં સવજીભાઇ સોમાભાઇ જાદવ (કોળી) (ઉ.૪૦) ગઇકાલે સવારે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. રાત્રીના તેમનું મોત નિપજતાં સ્‍વજનોમાં શોક છવાઇ ગયો હતો. મૃતક સાડીના કારખાનામાં મજૂરી કરતાં હતાં. પણ હાલમાં ટીબી થઇ જતાં કામે જઇ શકતા નહોતાં. તે ચાર ભાઇમાં નાના હતાં. પત્‍નિ હયાત નથી.

 

(1:44 pm IST)