મોચી સમાજના સમુહ લગ્નમાં કન્યાને ૭૦થી વધુ ભેટ, નવદંપતિને હેલ્મેટ આપવાનો નિર્ણય
નામલ ચેરીટેબલ ટ્રસ્ટ મોચી સમાજના સભ્યોની બેઠક મળી
રાજકોટ તા. ૧૪: રાજકોટ મોચી સમાજ શ્રી નામલ ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યોનું સ્નેહમિલન રાખવામાં આવ્યું હતું . જેમાં નવા વર્ષના કાર્યક્રમોના આયોજન વિશે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ નામલ ચેરીટેબલ ટ્રસ્ટ દવારા આગામી નવા વર્ષમાં ૨૬ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ પાંચ દીકરીના સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હોઇ તેમાં નવ દંપતીને કન્યાદાનમાં દાતાઓ દ્વારા ૭૦થી વધુ ઘરવખરીની ચીજવસ્તુઓ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
તેમજ ગુજરાત સરકારના હેલ્મેટના કાયદાને આવકારી પાંચેય નવદંપતીને હેલ્મેટ ભેટમાં આપવાનું સભ્યોએ નક્કી કર્યુ હતું. બેઠકમાં પ્રમુખ બલવંતભાઈ ચૌહાણ, કાંતિલાલ ચૌહાણ (આણંદ),મનસુખભાઈ ચૌહાણ, મનીષ ચૌહાણ,મનસુખ ગોહેલ, ચિરાગ ચાવડા(ક્રાઈમ રીપોર્ટર-સાંજ સમાચાર), હિરેન ચૌહાણ,ગીરધરભાઈ ચૌહાણ, વિપુલ ચૌહાણ,સુરેશભાઇ ચૌહાણ(ગુજરાત મિરર), મીથુન ચૌહાણ, વિશાલ ચૌહાણ, મહેશ ઠાકર (ગોરબાપા), કાંતિભાઈ ચૌહાણ (મહેશ પ્રિન્ટર્સ),મીત ચૌહાણ,લાલજીભાઈ ગોહેલ, અરવિંદભાઈ જેઠવા, કિરીટ ભાઈ પરમાર (કાલાવડ), અશોકભાઈ ચૌહાણ (અમદાવાદ) અને પિયુષભાઈ ચાવડા (ભરૂચ) ઉપસ્થિત રહ્યા હતા. ભેટ સોગાદ લખાવવા મોબાઈલ નંબર ૯૪૨૭૫ ૬૨૫૪૪ અને ૭૦૬૯૮ ૩૮૦૯૨ પર સંપર્ક કરવા પ્રમુખ બલવંતભાઈની યાદીમાં જણાવાયું છે.