અપહરણ-જાતિય ગુન્હામાં આરોપીની જામીન અરજી મંજૂર
રાજકોટ,તા. ૧૪ : અત્રે અપહરણ તથા જાતીય ગુન્હામાં આરોપીના જામીન મંજૂર કરવાનો કોર્ટે હુકમ કર્યો છે.
અત્રે રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ -૩૬૩, ૩૬૬ તથા જાતીય ગુન્હાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ ૨૦૧૨ કલમ -૮ તથા ૧૭ વિગેરે મુજબના ગુન્હા સબબ જયુડીશીયલ કસ્ટડીમાં હોય તેઓએ જામીન ઉપર મુકત થવા માટે તેમના વકીલશ્રી મારફત હાલની અરજી દાખલ કરેલ હતી.
આ કેસની વિગત એવી હતી કે આ કામના આરોપી રાહુલ મનુભાઇ મકવાણાને પ્રેમ સંબંધના લીધે ભોગ બનનારની અપહરણ કરી ગોધી રાખેલ હતી. જેમાં આ કામના અરજદાર રવિ ધનાભાઇ મકવાણાએ મદદગારી કરેલ હતી અને ગાંધીગ્રામ પોલીસ દ્વારા તા. ૮/૯/૨૦૨૧ના રોજ ધરપકડ કરી જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલેલ.
ત્યારબાદ આ કામના આરોપી રવિભાઇ ધનાભાઇ મકવાણાના વકીલશ્રી દ્વારા જામીન અરજી ગુજારેલ જેમાં વકીલશ્રી મેઘરાજસિંહ એમ.ચુડાસમા તથા કિર્તીરાજસિંહ એચ.ઝાલાએ દલીલ કરેલ હતી. જેને ધ્યાને લઇને સેસન્સ કોર્ટ જામીન અરજી મંજૂર કરી હતી.