સેન્ટગાર્ગીમાં નવરાત્રી મહોત્સવ
રાજકોટ : સેન્ટ ગાર્ગી વિદ્યાસંકુલ, અમીનુર ફાઉન્ડેશન તથા લાયન્સ સિલ્વર કલબના સંયુકત ઉપક્રમે સેન્ટ ગાર્ગી વિદ્યાસંકુલના વિદ્યાર્થીઓ માટે બાલભવન ઇન્ડોર હોલ ખાતે નવરાત્રી ઉજવણીનું આયોજન સેન્ટગાર્ગીનો આચાર્યા રમાબેન હેરભા, ભરતભાઇ હેરભા (મેનેજીંગ ટ્રસ્ટી), સનીભાઇ હેરભા, અમીનુર ફાઉન્ડેશનના પ્રમુખ એઝાઝબાપુ બુખારી, ઉપપ્રમુખ રઝાકભાઇ કારીયાણીયા, લાયન્સ સિલ્વર કલબના પ્રેસીડન્ટ રેશમાબેન સોલંકી, સેક્રેટરી મહેશભાઇ નગદીયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલ. આ કાર્યક્રમમાં ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, મીનાબા જાડેજા, રક્ષાબેન બોળીયા, જયોતીબેન ટીલવા, મનુભાઇ વઘાસીયા, જયેશભાઇ ઉપાધ્યાય, પુષ્પાબેન રાઠોડ, જશુબેન વસાણી, કાળુમામા વડેરીયા, વિજયભાઇ કારિયા, વિનુભાઇ પરમાર, અરૂણભાઇ નિર્મળ, ધરાબેન, રાજેન્દ્રસિંહ ગોહેલ, દશરથસિંહ વાળા, જયસુખભાઇ પરમાર, રાજુબેન કડછા, બીનાબેન અડીયા, દેવ્યાનીબેન, સીમાબેન, ભાવનાબેન, અવનીબેન રાજયગુરૂ, વર્ષાબેન, સીમાબેન લોઢીયા, હસ્મીતાબેન, કિરણબેન, રેખાબેન ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે રેશ્માબેન સોલંકી, ભાવનાબેન માવાણી, મીરાબેન જાડેજા તથા સુલતાનાબેને સેવા બજાવેલ. સર્વે મહેમાનોનો સેન્ટ ગાર્ગી આચાર્યા રમાબેન હેરભા, મેનેજીંગ ટ્રસ્ટી ભરતભાઇ હેરભા, સનીભાઇ હેરભા તથા સ્ટાફ પરિવાર દ્વારા આભાર વ્યકત કરાયાનું યાદીમાં જણાવાયુ છે.