મગફળીકાંડને ખુલ્લો પાડવા પોરબંદરમાં કોંગ્રેસની જનતારેડ : રાજકોટના આગેવાનોની ધરપકડ
રાજકોટ : પોરબંદર શહેર/જીલ્લા કોંગ્રેસનાં પ્રભારીશ્રી.જશવંતસિંહ ભટ્ટીની યાદી મુજબ,ભ્રષ્ટાચારી ભાજપનાં મગફળીકાંડને ખુલ્લો પાડવા માટે પોરબંદર ખાતે શ્રી.અર્જુનભાઈ મોઢવાડિયાની આગેવાની હેઠળ જનતાને સાથે રાખીને કોંગ્રેસ દ્વારા મગફળીનાં સરકારી ગોડાઉનમાં જનતારેડ પાડવામાં આવેલ હતી અને તાળા તોડીને ગોડાઉનમાં પ્રવેશીને કોભાંડ પકડવામાં આવેલ હતું.જે અંગે પોરબંદર પોલીસ દ્રારા મગફળીકાંડનાં આરોપીઓને બદલે કોભાંડ બહાર લાવનાર કોંગ્રેસ પક્ષનાં આગેવાનો સામે ગુન્હો નોંધેલ હતો, જે અંતર્ગત પોરબંદર ઉદ્યોગનગર પોલીસ દ્વારા પોરબંદર શહેર/જીલ્લા કોંગ્રેસનાં પ્રભારીઓ જશવંતસિંહ ભટ્ટી,પાલભાઇ આંબલીયા અને પોરબંદર કોંગ્રેસનાં અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયાની ધરપકડ કરવામાં આવેલ હતી. કોંગ્રેસનાં આગેવાનોની ધરપકડ સમયે રાજકોટનાં કોંગ્રેસી આગેવાનો ઈન્દુભા રાઓલ,ગોપાલભાઈ અનડકટ અને હરભમભાઈ મોઢવાડિયા હાજર રહેલ હતાં...(૩૭.૧૭)