News of Wednesday, 14th August 2019
ઝઘડાખોર દેરાણી - જેઠાણીને શિસ્તમાં રહેવા ઠપકો આપ્યો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સંકલનથી કામ કરવા અપાઈ તાકીદ : ગણગણાટ
રાજકોટ, તા.૧૪ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પેથાણી અને કુલનાયક દેસાણીના ૫ મહિનાથી ચાલતા બંધ બારણાના ઝઘડા હવે જાહેર થયા છે. બંનેના વલણ સામે ભાજપ હાઈકમાન્ડ અને સરકારે પણ ગંભીર નોંધ લીધી હોવાનું જાણવા મળે છે.
ભાજપ વર્તુળોમાં ચર્ચાતી વિગતો મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બહુચર્ચિત કુલપતિ અને કુલનાયકના ઝઘડા અને ફોન ટેપ કરવા તેમજ મીટીંગમાં થયેલી અંગત વાતો જાહેરમાં આવતા ભાજપ આગેવાનોએ ગંભીરતાથી લીધી છે.
ઝઘડાખોર ગણાતા દેરાણી - જેઠાણીને શિસ્તમાં રહેવા અને સંકલનથી કાર્ય કરવા તાકીદ કરાઈ હોવાનું ચર્ચાય રહ્યુ છે.
(3:50 pm IST)