ઇનર વ્હીલ કલબ પાંજરાપોળની મુલાકાતે
ઇનર વ્હીલ કલબના પ્રમુખ હંસાબેન દોશી, સેક્રેટરી રાજશ્રીબેન રમેશભાઇ વિરાણી તથા ભારતીબેન સીંઘવીએ રાજકોટ મહાજન પાંજરાપોળની મુલાકાત લઇ બીમાર પશુઓ માટેના વોર્ડ, પક્ષી વિભાગ, સારવાર કેન્દ્ર નવા બનેલા આધુનીક પશુ માટેના વોર્ડ તેમજ સમગ્ર જીવદયશ્વ પ્રવૃતીની માહીતી મેળવી હતી. શુભેચ્છા મુલાકાત પ્રસંગે ઇનર વ્હીલ કલબ તરફથી રૂા ૩૦૦૦૦/- નો ચેક સંજયભાઇ એલ. મહેતાને સુપ્રત કરેલો. તેમજ આગામી દિવસોમાં ચાલતા વિશાળ સેવાયજ્ઞમાં પાંજરાપોળની જરૂરીયાતો પરત્વે રસ દાખવીને મદદરૂપ થવાની ભાવના વ્યકત કરેલી. શ્રીમતી રાજશ્રીબેન રમેશભાઇ વિરાણીએ વર્તમાન રાજકોટ મહાજન પાંજરાપોળમાં યુવા પ્રમુખ શ્રેયાસભાઇ વિરાણીના માતુશ્રી થાય છે. આ માટે પાંજરાપોળના મુકેશભાઇ બાટવીયા, ઉપેન્દ્રભાઇ મોદી, યોગેશભાઇ શાહ, સંજયભાઇ મહેતા, દીલીપભાઇ વસા, બકુલેશભાઇ રૂપાણી તથા મેનેજર અરૂણભાઇ દોશી, (મો. ૯૪૦૯૩ ૮૧૮૪૩) દ્વારા શુભેચ્છા આશીષ પાઠવવામાં આવેલ હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પાંજરાપોળના સર્વે કામદાર ભાઇ-બહેનો સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી.