વોર્ડ નં.૧૫માં પેવર કામનું ખાતમુર્હુત કરાવતા કમલેશભાઈ મીરાણી- પુષ્કરભાઈ પટેલ
રાજકોટઃ વોર્ડનં.૧૫માં આવેલ સત્યમપાર્કમાં પેવરકામનું ખાતમુર્હુત રાજકોટ (પૂર્વ) વિધાનસભા- ૬૮ના સક્રિય ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણીની ગ્રાન્ટમાંથી રૂ.૫૦ લાખના ખર્ચે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી અને સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલના હસ્તે અને મહામંત્રી કિશોર રાઠોડ, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, કોર્પોરેટર દેવુબેન જાદવની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ. આ પ્રસંગે ભીખુભાઈ ડાભી, મહેશ બથવાર, રત્નાભાઈ મોરી, રમેશ પરમાર, પાંચાભાઈ વજકાણી, શામજીભાઈ ચાવડા, હસુભાઈ છાંટબાર, અજય ચાવડા, રતાભાઈ પરમાર, પુરણદાસ સગપરીયા, ઉજેશ દેશાણી, બીપીન સોલંકી, મયુર વજકાણી, મનસુખ જાદવ, મહેશ અઘેરા, દેવજીભાઈ ખીમસુરીયા, કમલેશ બગડાઈ, વીરમભાઈ રબારી, વિનોદ કુમારખાણીયા, ઉનાભાઈ ડાભી, મુકેશ વાળા, કનુભાઈ મેવાડા, અરવિંદભાઈ ભાલાળા, અમીતભાઈ દેસાઈ, મનોજ બોરીચા અને નિલેશ ખુંટ સહીતના ઉપસ્થિત રહયા હતા.(૩૦.૧૧)