રાજકોટ
News of Thursday, 14th June 2018

કોંગ્રેસ પણ મેયર સહિતના પદાધિકારીઓની દરખાસ્ત મૂકશે

મેયર પદે જાગૃતિબેન ડાંગર, ડો. ઉર્વશીબેન પટેલ તથા ડે. મેયર પદે મનસુખ કાલરિયા-ઘનશ્યાસિંહ જાડેજા અને સ્ટેન્ડીંગ કમીટીના સભ્યો તરીકે દિલીપભાઇ આસવાણી, રવજીભાઇ ખીમસુરીયાના નામો ચર્ચામાં

રાજકોટ, તા. ૧૪ : આવતીકાલે મ્યુ. કોર્પોરેશનનું જનરલ બોર્ડ સવારે ૧૧ વાગ્યે યોજાનાર છે. જેમાં મેયર સહિતના પદાધિકારીઓની ચૂંટણી યોજાનાર છે. ત્યારે વિપક્ષ કોંગ્રેસ પણ મેયર સહિતના પદાધિકારીઓના નામોમાં દરખાસ્તો મૂકનાર હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગે કોંગી વર્તુળોમાં ચર્ચાતી વિગતો મુજબ કાલે જનરલ બોર્ડમાં મેયર સહિતના પદાધિકારીઓની યોજાશે ત્યારે મેયર, ડે. મેયર અને સ્ટેન્ડીંગના સભ્યોના નામોની દરખાસ્તો કોંગ્રેસ દ્વારા રજૂ થશે.

જેમાં મેયરપદે જાગૃતિબેન ડાંગર તથા ડો. ઉર્વશીબેન પટેલ અને ડે. મેયર પદે મનસુખભાઇ કાલરિયા તથા ઘનશ્યામસિંહ જાડેજા તેમજ સ્ટેન્ડીંગ કમીટીમાં સભ્યપદે દિલીપભાઇ આસવાણી અને રવજીભાઇ ખીમસુરીયા વગેરેના નામો ચર્ચામાં છે.

(4:26 pm IST)