જંગલેશ્વરમાં નગ્માને પરિચીત પડોશી યુવાન જાફરે પાટુ માર્યુ
રાજકોટ તા. ૧૪: જંગલેશ્વર આંબેડકરનગર-૬માં રહેતી નગ્મા હુશેનભાઇ મીર (ઉ.૨૧)ને તેની બાજુમાં જ રહેતાં જાફર જીકરભાઇ મીરે પાટુ મારી દેતાં ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં ચોકીના સ્ટાફે ભકિતનગર પોલીસને જાણ કરી હતી.
નગ્માના માતા શરીફાબેનના કહેવા મુજબ નગ્મા અને જાફર વચ્ચે પાંચેક માસથી પરિચય છે. જાફરે તેના ઘરનું કામ કરવાનું કહેતાં નગ્માએ ના પાડતાં તેણે ગુસ્સે થઇને માર માર્યો હતો.
ઝઘડતા પડોશીને સમજાવવા જતાં રોશનબેન પર પથ્થરાનો ઘા થયો
બીજા બનાવમાં કેસરી પુલ પાસે ખોડિયારપરા-૧માં રહેતાં રોશનબેન હુશેનભાઇ શાહમદાર (ઉ.૪૬) પડોશમાં રહેતાં ભૈયા યુવાન સાથે જયલો નામનો શખ્સ ઝઘડો કરતો હોઇ પોતે સમજાવવા જતાં જયલાએ પથ્થરનો ઘા કરતાં મોઢા પર ઇજા થતાં સિવિલમાં દાખલ થતાં બી-ડિવીઝનમાં જાણ કરાઇ હતી. (૧૪.૫)