રાજકોટ
News of Saturday, 14th May 2022

સોમવારે આકાશવાણી પર અકિલા પરિવારના ડો. અનિલ દશાણીનો વાર્તાલાપ

રાજકોટના ઉદ્યોગોની વિકાસયાત્રાની ઝલક

 

રાજકોટ તા. ૧૪ : આકાશવાણી રાજકોટ કેન્‍દ્ર દ્વારા શ્રમિકો માટે પ્રસારિત થતા કાર્યક્રમ ઉદ્યોગ જગત'માં તા. ૧૬ સોમવારે સાંજે ૫.૩૦ વાગ્‍યે રાજકોટના ઉદ્યોગોની વિકાસયાત્રાની વાતો સાંભળવા મળશે. આકાશવાણીના શ્રી સુધીર દતાએ આ વિષય પર અકિલા પરિવારના ડો. અનિલ દશાણીની મુલાકાત લીધી છે. ડો. અનિલ દશાણીએ પ્રશ્નોતરીના જવાબમાં શાપર-વેરાવળ, મેટોડા, આજી વગેરે ઔદ્યોગિક વસાહતોને સ્‍પશર્તી રસપ્રદ વાતો આવરી લીધી છે.

(11:24 am IST)