રાજકોટ
News of Tuesday, 14th May 2019

સગીરાના દુષ્કર્મ - પોકસોના કેસમાં આરોપીના જામીન મંજુર

રાજકોટ તા. ૧૪: સગીરાના અપહરણ દુષ્કર્મ અને પોકસો એકટના ગુના હેઠળ પકડાયેલ આરોપીનો જામીન પર છુટકારો હાઇકોર્ટે ફરમાવેલ છે.

આ કામના ફરીયાદી એ પોતાની સગીર વયની ૧પ પુત્રીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે અપહરણ થયા અંગેની ફરીયાદ ગાંધીગ્રામ (યુનિ.) પોલીસ સ્ટેશનમાં આઇપીસી. કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬ અને પોકસો એકટની કલમ ૩,૪, પ અને ૬ મુજબની ફરીયાદ ગાંધીગ્રામ (યુનિ.) પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી હતી.

આ કામે આ કામના આરોપી સુનિલ રતિલાલ વાવેચાની પોલીસ દ્વારા તા. ૧૩-૧૧-ર૦૧૮ના રોજ ધરપકડ કરવામાં આવેલ અને કોર્ટ સમક્ષ રજુ કરતા તેને તે દિવસથી જેલ હવાલે કરવામાં આવેલો જેને ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામના આરોપી વતી યુવા એડવોકેટ જીજ્ઞેશ એમ. સભાડ, જાહીદ એન. હિંગોરા, આર. બી. મકવાણા તેમજ ગુજરાત હાઇકોર્ટમાં પ્રતિક વાય. જસાણી રોકાયેલા હતા.

(3:48 pm IST)