કુવાડવાના પીપળીયા પાસે બાઇક સ્લીપ થતા રમેશભાઇ પરસાણાનું મોત
સણોસરાથી રાજકોટ આવતી વખતે બનાવ બન્યો
રાજકોટ, તા.૧૪: કુવાડવા રોડ પર આવેલ પીપળીયા ગામ પાસે બાઇક અકસ્માતમાં રાજકોટના પટેલ આઘેડનું મોત નિપજયું હતું.
મળતી વિગત મુજબ પેડક રડ પર મારૂતિનગરમાં રહેતા રમેશભાઇ મીઠાભાઇ પરસાણા (ઉ.વ.૪૩)(પટેલ) ગત શનિવારે પોતાનું મોટર સાઇકલ લઇને સણોસરાથી રાજકોટ આવતા હતા ત્યારે પીપળીયા ગામ પાસે અકસ્માતમાં ઇજા થતા તેને સારવાર માટે રાજકોટ સ્ટર્લીંગ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજયુ હતું. મૃતક રમેશભાઇ ખેતી કરતા હતા, તે બે ભાઇમાં મોટા હતા. બનાવની જાણ થતા કુવાડવા રોડ પોલીસ મંથકના પી.એસઆઇ આર.એલ.ખટાણા તથા રાઇટર હરસુખભાઇએ તપાસ આદરી હતી. આ બનાવમાં રમેશભાઇનું બાઇક સ્લીપ થતા મોત નિપજયુ હોવાની કુવાડવા રોડ પોલીસે બનાવ સ્થળ આસપારસ તપાસ કરતા કોઇ રીક્ષા ચાલકે બાઇકને ઠોકર મારી હોવાનું જાણવા મળતા આ બનાવ બાઇક સ્લીપ થવાથી કે રીક્ષાની ઠોકર લાગવાથી તે અંગે એએસઆઇ રાયધનભાઇએ તપાસ આદરી છે. (૨૩.પ)