રાજકોટ
News of Wednesday, 14th April 2021

રાજકોટના થોરાળાના 16 વર્ષના આયુષ બારૈયાની મોબાઈલ ફોનની બબલમાં હત્યા: 3 જેટલા શખ્સોએ હત્યા કરી

રાજકોટઃ ચુનારાવાડ ચોક પાસે હત્યાનો બનાવ બન્યો છે. નવા થોરાળા મેઈન રોડ પર રામદેવ પીર મંદિર પાસે રહેતા 16 વર્ષના આયુષ બારૈયા નામના કિશોરને છરીના ઘા ઝીકી દેવાતા હોસ્પિટલમાં ખસેડાયો હતો. તેનું મોત નિપજતા બનાવ હત્યામાં પરિણામતા થોરાળા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

આયુષને બે દિવસ પહેલા મોબાઈલ બાબતે માથાકૂટ થઈ હતી. એ પછી ડેવિડ, ઘોરી સહિતની સાથે ઝગડો થયો હતો. આજરોજ બપોરે સમાધાન પણ કરી મોબઈલ પરત લેવા  આયુષ અને તેનો મિત્ર ગયા હતા. સમાધાન બાદ  માથાકૂટ થતાં છરી વડે હુમલો કરાયો હતો.ગંભીર રીતે ઘવાયેલાં આયુષનું સારવાર દરમ્યાન મોત થતા થોરાળા પોલીસે તપાસ શરૂ કરી છે.

(8:33 pm IST)