News of Wednesday, 14th April 2021
મને વેકસીન પૂરેપૂરી અસરકારક રહી, નહી તો મારા ભુકકા બોલી ગયા હોતઃ ડો.ચિરાગ માત્રાવડીયા
મને લક્ષણો કેટલાક સામાન્ય છે કે હું દવા નહિ લઉં તો પણ હું સાજો થઈ જઈશ
રાજકોટઃ શહેરના સુપ્રસિધ્ધ ડો. ચિરાગ માત્રાવાડિયાએ જણાવ્યું હતું કે રસીના બે ડોઝ લીધા બાદ મને કોરોના પોઝિટિવ આવ્યો છે પણ લક્ષણો એટલાં સામાન્ય છે કે હું દવા નહિ લઉં તો પણ સાજો થઈ જઈશ. નથી તાવ આવ્યો કે નથી કોઈ મેજર લક્ષણો. માત્ર બોલવામાં થોડું ગળું ઘસાય રહ્યું છે. બે ડોઝ પછી કોરોના આવ્યો છે, પરંતુ વેકિસન પૂરેપૂરી અસરકારક રહી છે, નહીં તો મારા ભુક્કા બોલી ગયા હોત. હું કોરોનાના રોજના ઢગલા મોઢે પેશન્ટની ટ્રીટમેન્ટ કરી રહ્યો છું. તેઓએ જણાવેલ કે કોરોનાની રસીના બે ડોઝ લીધા હતા એટલે હું સુરક્ષીત રહ્યો છું. (ડો.ચિરાગ માત્રાવડીયા મો.૯૮૨૫૨ ૧૯૦૧૩)
(3:54 pm IST)