રાજકોટ
News of Wednesday, 14th April 2021

ભાજપ અનુ.જાતિ મોરચા દ્વારા આંબેડકરજીને વંદના

શહેર ભાજપ અનુ.જાતી મોરચાના પ્રભારી મહેશ રાઠોડ, મહામંત્રી નાનજીભાઈ પારઘીની આગેવાનીમાં દેશના બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતીની ઉજવણી અંતર્ગત શહેર ભાજપ અનુ.જાતી મોરચા દ્વારા  શહેરના સીવીલ હોસ્પિટલ ચોક ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવેલ હતી. આ તકે શહેર ભાજપ અનુ. જાતી મોરચાના પ્રભારી મહેશ રાઠોડ, મહામંત્રી નાનજીભાઈ પારઘી તેમજ  ભારતીબેન મકવાણા, પરષોતમભાઈ રાઠોડ, રવી ગોહેલ, જયંતી ધાંધલ, પ્રવીણ ચાવડા, મીનાબેન સરવૈયા, મહેશ અઘેરા, મૌલીક પરમાર સહીતના ઉપસ્થિત રહયા હતા.

(3:00 pm IST)