News of Wednesday, 14th April 2021
આવકમાં રોજનું ૩ લાખનું ગાબડુ
કોરોનાને કારણે જામનગર-ઉપલેટા-કાલાવાડ મોરબી તરફની એસ.ટી.ની ૧૯ બસ બંધ કરાઇ
રાજકોટ તા. ૧૪ :.. કોરોનાને કારણે રાજકોટ એસ. ટી. ડીવીઝનની હાલત દિન પ્રતિદિન કથળતી જાય છે. આવકમાં રોજનું ૩ લાખનું ગાબડુ પડયું છે. ઉતરોતતર મુસાફરો ઘટી રહ્યા હોય સંખ્યાબંધ રૂટો બંધ કરાઇ રહ્યા છે, જે શહેરના રૂટો બંધ કરાયા, જે તરફની ગાડીઓ બંધ કરાઇ તે તરફ ગાડીઓ ચાલુ રહેશે પરંતુ વધારે દોડતી અનેક બસો રદ કરાઇ છે.
અધિકારી સુત્રોના કહેવા મુજબ રાજકોટથી ઉપડતી જામનગર, ઉપલેટા, કાલાવડ, મોરબી વિગેરે તરફની કુલ ૧૯ પેરેલેલ બસો કાલથી બંધ કરી દેવાઇ છે, ઉપરોકત શહેર તરફના રૂટો ચાલુ રહેશે, પરંતુ મુસાફરો ઘટતા વાહનોની સંખ્યામાં ઘટાડો કરાયાનું અધિકારીઓ ઉમેરી રહ્યા છે.
(11:45 am IST)