રાજકોટ
News of Saturday, 14th April 2018

શિવતાંડવ - બારબેડા રાસ - મોરબની થનગાટ કરે

રાજકોટ : શહેરના આનંદનગર કોમ્યુનિટી હોલ (મ્યુ. કો. હોલ યુનિટ નં. ૧, પારડી રોડ, બોલબાલા માર્ગ, પુષ્પાબેન માર્ગ કોર્નર) ખાતે તા.૧૬ના સોમવાર સુધી ચોટલીયા પરીવાર દ્વારા શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનંુ આયોજન કરવામાં આવેલ છે. વ્યાસાસને શાસ્ત્રી શ્રી હર્ષિતભાઈ શુકલ બિરાજી કથાનું સંગીતમય રસપાન કરાવી રહ્યા છે. તાજેતરમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થઈ હતી. શ્રી રૂક્ષ્મણી વિવાહ, સુદામા ચરિત્ર સહિતના પ્રસંગો ધામધૂમથી ઉજવાશે. ભાવિકોને કથામૃતનો લાભ લેવા અનુરોધ કરાયો છે. શિવતાંડવ, બારબેડા રાસ અને મોર બની થનગાટ કરે કાર્યક્રમમાં જમાવટ થઈ હતી. આજે રાત્રે જયોતિબેનના ભજનોનો કાર્યક્રમ રાખેલ છે.(૩૭.૧૧)

 

(12:51 pm IST)