રાજકોટ
News of Wednesday, 14th March 2018

ઝાડા-ઉલ્ટી-શરદી-ઉધરસનો રોગચાળો યથાવતઃ અઠવાડિયામાં ૩૭૦ દર્દી નોંધાયા

રાજકોટ તા. ૧૪:  ગરમી-ઠંડીની મિશ્ર સીઝનમાં ઝાડા-ઉલ્ટી, મરડો, શરદી-ઉધરસ જેવો રોગચાળો પણ ધીમીગતીએ વકરી રહ્યો છે કેમકે છેલ્લા અઠવાડિયા દરમિયાન મ્યુ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગમાં નોંધાયેલ વિગતો મુજબ ૩૭૦ જેટલા દર્દીઓની સારવાર આરોગ્ય કેન્દ્રમાં થઇ છ.ે

આ અંગે કોર્પોરેશનના આરોગ્ય અધિકારી ડો. પી.પી.રાઠોડનાં જણાવ્યા પ્રમાણે તા. ૮ થી ૧૩માર્ચ સુધીનાં છેલ્લા અઠવાડિયામાં  શર્દી-ઉધરસ-તાવના ૨૩૯, દર્દીઓ, ઝાડા-ઉલ્ટીના ૧૧૭, ટાઇફોઇડ-મેલેરીયાના ૩, કમળાના ૨ અને મરડાના ૮ દર્દીઓ તંત્રના ચોપડે સતાવાર રીતે નોંધાયો છે.

આ ઉપરાંત મેલેરીયા વિભાગ દ્વારા શાળાઓમાં જનજાગૃતી  દવા છંટકાવ, મચ્છરો માટે મકાનધારોને નોટીસો ફટકારાય છે. છતા મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે. અને તાવના દર્દીઓ વધ્યા છે.

ફુડ વિભાગે છેલ્લા અઠવાડીયામાં ૧૧૯ કીલો અખાદ્ય ખોરાકનો નાશ કર્યો હોવાનું આરોગ્ય વિભાગે જાહેર કર્યું છે.

રોગચાળા અટકાયતી પગલાની ઉપરોકત તમામ કામગીરી મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીની સુચના અનુસાર ઇ.ચાર્જ આરોગ્ય અધિકારી ડો.પંકજ  રાઠોડ, નાયબ આરોગ્ય અધિકારી ઇસ્ટ ઝોન ડો. મનીષ ચુનારા, નાયબ આરોગ્ય અધિકારી સેન્ટ્રલ ઝોન ડો. હિરેન વિસાણી, ડેઝીગ્નેટેડ ઓફીસર અમિત પંચાલ, બાયોલોજીસ્ટ વૈશાલીબેન રાઠોડ, મેલેરિયા ઇન્સ્પેકટરો ભરતભાઇ વ્યાસ, દિલીપદાન નાંધુ, રીતેશભાઇ પારેખ તથા ફુડ ઇન્સ્પેકટરો ચન્દ્રાકાંત ડી.વાઘેલા, હિમાંશુ જી.મોલિયા, કૌશિક જે. સરવૈયા, કેતન એમ.રાઠોડ તેમજ રાજુલા આર. પરમાર દ્વારા કરવામાં આવી હોવાનું આરોગ્ય અધિકારીની યાદીમાં જણાવ્યુ઼ છે.

 

(5:21 pm IST)