રાજકોટ
News of Wednesday, 14th March 2018

વિપક્ષી નેતા વશરામભાઇની સફળ રજુઆતઃ વોર્ડ નં. ૬ અને ૧પ માં મચ્છરનો ત્રાસ દુર કરવા ફોગીંગ શરૂ

રાજકોટઃ ગઇકાલે વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાએ મ્યુ. કમિશ્નરને પત્ર પાઠવી વોર્ડ નં. ૬ અને૧પમાંથી મચ્છરનો ત્રાસ દુર કરવા રજુઆત કરેલ જે અનુસંધાને આજે સવારથી જ બંન્ને વોર્ડમાં મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવા ફોગીંગ-દવા છંટકાવ શરૂ કરાયો હતો. જે તસ્વીરમાં દર્શાય છે. સાગઠીયાએ આ તકે આજી નદીમાંથી ગાંડીવેલ કાઢવા પણ માંગ ઉઠાવી હતી તેમ તેઓની યાદીમાં જણાવાયું છે.

(4:27 pm IST)