રાજકોટ
News of Friday, 14th February 2020

કામદાર પરિવારના સહયોગથી સદ્દગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ

સ્વ. શશીકાંતભાઇ લાલજીભાઇ કામદારની પૂણ્યતીથી નિમિતે હસ્તે શ્રીમતી કુમુદબેન શશીકાન્તભાઇ કામદાર તથા પરિવારજનો અને શ્રી રણછોડદાસજી બાપુ હોસ્પિટલના સંયુકત ઉપક્રમે રાજકોટ શહેર જિલ્લાને આંખના મોતિયા વિહિન કરવાના અશ્વમેઘ સંકલ્પ પૈકી ૧૫ મો સદ્દગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ તાજેતરમાં યોજાય ગયો. જેમાં ૩૭૮ દર્દી ભગવાનને દિવ્ય ગુરૂદ્રષ્ટિ પ્રદાન થઇ હતી. નેત્રયજ્ઞમાં આવેલ તમામ દર્દીઓને રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, શુધ્ધ ઘી નો શીરો, દવા, ટીપા, ચશ્મા અને નેત્રમણી સાથે વિનામુલ્યે ઓપરેશન કરી આપવામાં આવેલ. ઉપરાંત ઓપરેશન થયેલ દરેક દર્દીઓને ધાબળાનું પણ વિતરણ કરાયુ હતુ.

(3:38 pm IST)