રાજકોટ
News of Friday, 14th February 2020

રવિવારે ડો.જૈમિન ગઢવીની આધ્યા આંખની હોસ્પિટલમાં નિઃશુલ્ક નિદાન કેમ્પ

રાજકોટ, તા. ૧૪ : રાજકોટના જાણીતા આઈ સર્જન ડો.જૈમીન ગઢવીની આધ્યા આંખની હોસ્પિટલમાં તા.૧૬ના રવિવારે સવારે ૯ થી ૧ દરમિયાન આંખના નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે.

ડો.જૈમીન ગઢવીની આધ્યા આંખની હોસ્પિટલ શુભમ હોસ્પિટલ બિલ્ડીંગ, ગરબી ચોક નજીક, કોઠારીયા કોલોની, ૮૦ ફૂટ રોડ, રાજકોટ. મો. ૯૧૫૭૨ ૨૯૯૦૦ ખાતે આંખની દરેક તકલીફનું નિઃશુલ્ક સચોટ નિદાન તેમજ કેમ્પમાં રજીસ્ટ્રેશન કરાવનારને મોતીયાના દર્દીઓને ઓપરેશનમાં ૧૦%ની રાહત આપવામાં આવશે.

ડો.જૈમીન ગઢવી ૨૬ હજારથી વધુ આંખની સફળ ઓપરેશનના અનુભવી નિષ્ણાંત ડોકટર છે. અત્યંત સૂક્ષ્મ કાપાથી કોલ્ડ ફેકો ટેકનોલોજી ધરાવતા અતિ આધુનિક મશીન દ્વારા ઓપરેશન જેથી ઓપરેશન બાદ ઝડપથી રૂઝ આવે છે. મોતીયાનું ઓપરેશન ટાંકા વિના, ઈન્જેકશન વિના, પાટા પીંડી વિના તેમજ દરેક પ્રકારની આધુનિક ફોલ્ડેબલ નેત્રમણી આરોપણના નિષ્ણાંત છે.

ડો.જૈમીન ગઢવીની આધ્યા આંખની હોસ્પિટલમાં ચશ્માના નંબરની સચોટ તપાસ લેસર પદ્ધતિથી ચશ્માના નંબર ઉતારવાના ઓપરેશનની સુવિધા, વેલ, નાસુર, પરવાડા અને પાપણના ઓપરેશનની સુવિધા, મોતીયાના ઓપરેશન બાદ થતી ક્ષારી દૂર કરવાની સુવિધા, ડાયાબીટીસ તથા બીપીના લીધે આંખના પડદાને થતી અસરનું સચોટ નિદાન, આંખના દરેક ઓપરેશન રાહત દરે કરવામાં આવે છે.

(3:27 pm IST)