રાજકોટ
News of Friday, 14th February 2020

અનીલ ઓઝાનું વધુ એક ત્રાગુઃ કલેકટર કચેરીમાં ઝપાઝપી

ત્રીજા માળેથી છલાંગ મારવી'તીઃ એડી. કલેકટરે પોલીસને ચેતવી

રાજકોટઃ ગોંડલના જમીન પ્રકરણ મામલે કલેકટર કચેરીમાં ર થી ૩ વખત આપઘાતનો પ્રયાસ કરનાર અને કલેકટર કચેરીના ભૂતકાળમાં કાચ ફોડનાર અનીલ ઓઝાએ આજે વધુ એક નાટક સર્જી દીધું હતું, ન્યાય આપોની માંગણી સાથે ધોતીયું પહેરી-કેડે મોબાઇલ ભરાવી ખુલ્લા દિલે કલેકટર કચેરીએ પહોંચ્યો હતો. ન્યાયની માંગણી સાથે ત્રીજા માળેથી છલાંગ મારવી છે તેવી વાતો સાથે દોડી આવેલ, પરંતુ એડી. કલેકટરશ્રી પરિમલ પંડયાને આગોતરી જાણ થઇ જતા તેમણે પોલીસને ચેતવી હતી, પરીણામે પોલીસે કલેકટર કચેરીના દરવાજા પાસે ગ્રાઉન્ડ ફલોર ઉપર અનીલને ઝડપી લીધો હતો, અને શાંત પાડી રવાના કરી દીધેલ. આજે વધુ એક વખત કલેકટર કચેરીમાં ગંભીર ઘટના બનતા અટકી પડી હતી. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(2:54 pm IST)