ગોપાલક સમિતિ દ્વારા ભરવાડ સમાજના સમુહલગ્ન
૧પ૦ ફુટ રીંગ રોડ ખાતે રૈયા સર્કલ, બિલેશ્વર મહાદેવ મંદિર ખાતે સમસ્ત ભરવાડ સમાજનો પંદરમો સમુહ લગ્નોત્સવ વાજતે ગાજતે ધામધુમથી પૂર્ણ થયો. પ. પૂ. વંદનીય સંતશ્રી રામબાપુ (નગાલાખા ઠાકર મંદિર બાવળીયાવાળી જગ્યા) એ દિપ પ્રાગટય કરી નવદંપતિઓને આશીર્વાદ આપેલ. પ૬ નવદંપતિઓએ પ્રભુતામાં પગલા માંડેલ હતા. આ શુભ પ્રસંગે લોકમેળા ટી.વી. ફેઇમ કલાકાર તુલસીદાસ ગોંડલીયા (મો. ૯૯૭૯૪ ૬૯પ૯૯) ઉપસ્થિત રહી નવદંપતિઓને આશીર્વચનો આપ્યા હતા. આધ્યાત્મિક ઉદ્દબોધનમાં આ વિરબાઇ, ચંગાવતી, સતી અનસુયા અને સતી તોરલના રાહ પર ચાલવા અનુરોધ કરેલો હતો. આ પ્રસંગે અલખના આરાધક ખીમજીભાઇ ભરવાડ સંગીતના સથવારે જમાવટ કરેલ હતી. સમુહ લગ્નોત્સવમાં મહા રકતદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ. શિક્ષણક્ષેત્રે કન્યા છાત્રાલય હોસ્ટેલનું સ્વપ્ન સાકર કરવા, કુરીવાજો બંધ થાય સમાજ વ્યસન મુકત બને તેવો સંદેશ ગોપાલક સમિતિએ પ્રસરાવ્યો હતો.