કાલે મકરસંક્રાત નિમિતે ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે પ્રાર્થના ધ્યાન સાથે ધ્યાનોત્સવ
માધવપુરના ઓશો સન્યાસ આશ્રમના સ્વામી બ્રહ્મવેદાંતજીની નાદુરસ્ત તબીયતને અનુલક્ષીને તેમના સ્વાસ્થય અને દિર્ઘાયું માટે પ્રાર્થના ધ્યાન તથા કિર્તન ધ્યાનઃ માસ્ક હેન્ડ સેનીટાઇજેશન સોશ્યલ ડિસ્ટન્સ સાથે કાર્યક્રમનું આયોજન
રાજકોટઃ ઓશોના સુત્ર ઉત્સવ આમારા જાતિ આનંદ ગૌત્રને સાર્થક કરતા વિવિધ કાર્યક્રમો જેવા કે ઓશો ધ્યાન શિબિરો, ઓશો સાહિત્ય પ્રદશનો, ઓશો સન્યાસ ઉત્સવ, ભજન-કિર્તન, ગીત-સંગીત, વિવિધ સંપ્રદાયના ઉત્સવો-વિશ્વ દિવસ વગેરે રાજકોટમાં ૨૪ કલાક ઓશો કાર્યથી ધગમગતુ વિશ્વનું એકમાત્ર ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર પર નિયમીત છેલ્લા ૩૫ વર્ષથી અવારનવાર આયોજન કરવામાં આવે છે. જેનુ સંચાલન સ્વામી સત્યપ્રકાશ કરી રહયા છે.
આવતીકાલે તા.૧૪ને ગુરૂવારને રોજ મકરસંક્રાત નિમિતે સાંજના ૬:૩૦ થી ૭:૪૫ દરમિયાન સંધ્યા સત્સંગ ધ્યાન તથા માધવપુરના સ્વામી ભગવાન બ્રહ્મવેદાંતજીની નાદુરસ્ત તબીયતને અનુલક્ષીને તેમના સ્વાસ્થય અને દિઘાર્યું માટે પ્રાર્થના ધ્યાન તથા કિર્તન ધ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે.
સ્થળઃ ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ વિવેકાનંદ ઓવરબ્રિજની બાજુમાં વૈદ્યવાડી-૪ ડીમાર્ટની પાછળની શેરી
વિશેષ માહિતીઃ સ્વામી સત્યપ્રકાશ ૯૪૨૭૨ ૫૪૨૭૬, સંજીવ રાઠોડ ૯૮૨૪૮ ૮૬૦૭૦